1972માં એક અતિ તેજસ્વી મુસ્લિમ છોકરો અમેરિકામાં ન્યૂક્લિયર ફીઝીકસ વિષયમાં પી.એચ.ડી.કરે છે. ત્યાં જ એસોસિએટ પ્રોફેશર તરીકે કારકિર્દી શરુ કરે છે. સામે સુરક્ષિત,ખુશહાલ અને સમૃદ્ધ ભવિષ્ય હતું. કેમ કે વૈજ્ઞાનિકોની કદર અમેરિકા જેવી અને અમેરિકા જેટલી આજ સુધી કોઈ દેશ નથી કરી શક્યુ. તે છોકરો એક ચર્ચમાં જાય છે. ત્યાં એક નન સાથે તેનો ભેટો થાય છે. નન એક સલાહ આપે છે. "ત્યાં તારા વતનમાં ,તારા સમાજમાં , એક કચડાયેલા વર્ગને તારી જરુર છે. તું અંહી શું કરે છે?". યુવકનું હ્રદય પરિવર્તન થાય છે. તે તેની પત્નીના સખ્ત વિરોધને દરકિનાર કરીને ગ્રીન કાર્ડને તોડી નાખે છે અને પોતાના વતન ભારત પરત ફરે છે. વડોદરા(તે વખતનું બરોડા)ને તે પોતાની કર્મભૂમિ બનાવે છે. તે વખતે બરોડા યુનિવર્સિટીમાં ફીઝીકસને જ કોઈ જાણતુ નહોતુ અને તે યુવાન ન્યુક્લિયર ફીઝીકસનો પોતાના જ્ઞાનનો ભંડાર ભારતમાં વહેંચવા આવે છે. તેમના હાથ નીચે હજારો ભારતીય વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા. પણ ઉડીને આંખે વળગે તેવુ ઉદાહરણ હતુ 2009ના કેમેસ્ટ્રીના નોબેલ પ્રાઇઝ વિજેતા વેંકી રામાક્રિષ્નન. યેસ્સ વેંકીએ બી.એસ.સી. બરોડાથી કર્યુ હતુ. 1973માં તેમને મેડિકલ અને આઇ.આઇ.ટી.માં પ્રવેશ ન મળતા બરોડા આવ્યા હતા. તે વખતે વેંકીને જો પેલો યુવા પ્રોફેસર ન મળતો તો શું એ ન્યુક્લિયર ફીઝીકસમાં આટલો આગળ વધી શકતો?? ખેર ભણાવવાની સાથે સાથે તે યુવાનની પોતાના સમાજની નિરક્ષરતા અને અજ્ઞાનતા ત્થા બંધિયારપણું જોઈને ચિંતાઓ વધતી જાય છે. તે સૌથી પહેલો પોતાની જ્ઞાતિમાં પ્રસરેલી અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવે છે. અને તરત ઈનામ મળે છે "નાત બહાર". પણ તે યુવાન હિમ્મત હાર્યા વગર બમણી ત્વરા સાથે સામાજિક મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે. ન્યૂક્લિયર ફીઝીકસના પી.એચ.ડી. માટે આખી દુનિયાના બધા દેશો પોતાના દ્ધાર ફુલની જગ્યાએ દિલ બીછાવીને ખુલ્લા રાખે છે. આ ક્ષેત્રના વૈજ્ઞાનિકોને જે તે દેશની સરકારો પ્રલોભનો ઓફર નથી કરતી પણ કોરા દસ્તાવેજ સહી કરીને આપે છે કે "લો તમે શરતો લખો અમારા દેશમાં કામ કરવાની". સ્વાભાવિકપણે આવી જ દરખાસ્ત 'અપને વાલા હે' વિચારીને પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશોએ તેમની સમક્ષ મુકી હતી. પણ જિંદગીનો ધ્યેય બદલી ચૂકેલા પ્રોફેસરે લોભામણા પ્રસ્તાવો અને કોઈ પણ દેશના મોસ્ટ વી.વી.આઇ.પી. નાગરિક બની શકવાની હકિકતો સામે નજર સુધ્ધા નાંખ્યા વગર ધરાર ઈનકાર કરીને શિક્ષક તરીકે અને સામાજિક કાર્યોમાં જીવન વ્યતિત કરવા ધૂણી ધખાવી દીધી હતી. અને જિંદગી દેશને સમર્પિત કરવાનુ નક્કી કરી નાંખ્યુ હતુ. જે કાર્ય તેમને નિવૃત્તિ સુધી ફીઝીકસના પ્રોફેસર તરીકે સતત પ્રગતિશીલ રહીને જાળવી રાખ્યુ. અમેરિકાથી પરત ફર્યા પછી તેમને સૌથી પહેલુ કામ મોર્ડન એજ્યૂકેશન પ્રણાલી અસ્તિત્વમાં આવે તે દિશામાં શરું કર્યુ. જે આજ સુધી ચાલુ જ છે. બીજું તેમનું મહત્વનુ કાર્ય હતુ દેશની અંધ ધાર્મિકતા કે જેનાથી દેશનો વિકાસ અટકેલો લાગતો. જુનવાણી અને બંધિયાર કટ્ટરવાદી વિચારોનો તેમને જાહેરમાં સતત વિરોધ દર્શાવી આર.એસ.એસ અને રુઢિવાદી મુસ્લિમ મોલ્વીઓ માટે તેઓ સતત અદેખાઈનુ પાત્ર બનતા રહ્યા. સમાજનાં દબાયેલા અને કચડાયેલા વર્ગ માટે તેમને ઈન્ડિયન એકસપ્રેસ અને ધ ટેલિગ્રાફ જેવા માધ્યમો દ્ધારા અવાજ ઉઠાવ્યો. દલિતો માટેની તેમની લડતને કારણે 1983માં દલિત નેતા કાંશીરામ સ્પેશિયલી તેમને મળવા વડોદરા પધાર્યા હતા. ભારતીયોના માનવ અધિકાર અને વિકાસ માટે તેઓનો અવાજ હંમેશા નિડર અને બુલંદીથી ઉઠતો. 1985માં બહુ ચર્ચાસ્પદ શાહબાનો કેસમાં તેમને ઘરડી શાહબાનોના ભરણપોષણ માટે આપેલા સુપ્રીમ કોર્ટનાં ચૂકાદાની સંપૂર્ણ તરફેણ કરી હતી. મહિલાના ભરણપોષણ માટે શરિયતના લૉમાં સુધારા કરવા હિમાયત કરી હતી. અને રૂઢિચુસ્ત મુલ્લાઓ અને પીરોની ખફગીનો ભોગ બન્યા હતા. આવો જ એક રસપ્રદ કિસ્સો બન્યો હતો 'શૈતાનિક વર્સીસ' વખતે. શૈતાનિક વર્સીસ વખતે સલમાન રશ્દીને મારી નાંખવાનો ફતવો તેમને ઈસ્લામના વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમને જાહેરમાં પોતાના વિચારો સ્પષ્ટ પ્રગટ કર્યા હતા કે
Comments
Post a Comment