હિન્દનો એક ગુમનામ હીરો ડો.મુહમ્મદ ઇકબાલ શૈદાઈ એવી શખ્સિયતનું નામ છે જેમણે પોતાની જિંદગી અંગ્રેજી હુકૂમત વિરૂદ્ધ લડવામાં વિતાવી દીધી, પોતાની જિંદગીની સુંદર અને મહત્વની પળો પોતાના વતનથી દૂર ક્યારેક એશિયાના અન્ય દેશોમાં તો ક્યારેક યુરોપના દેશોમાં દરબદર ભટકતા રહ્યા.
ડોક્ટર મુહમ્મદ ઇકબાલનો જન્મ 1888માં સિયાલકોટમાં થયો હતો.પિતા વ્યવસાયે એક શિક્ષક હતા.ઈકબાલ શૈદાઈ ગદર પાર્ટી સાથે જોડાઈ ગયા અને તેમનો ઘરબાર છોડી અફઘાનિસ્તાનની તરફ નીકળી પડ્યા.હજારોની સંખ્યામાં હિન્દુસ્તાનીઓ ત્યાં પહોંચી ચૂક્યા હતા.ઈકબાલ ત્યાં મિનિસ્ટરની હેસિયતથી કામ કરવા લાગ્યા.
1923 માં ઈકબાલ અફઘાનિસ્તાનથી નીકળી ઈટલી પહોંચ્યા,પછી મોસ્કો પછી પેરિસ.દરેક જગ્યાએ તેઓ હિન્દુસ્તાનમાંથી અંગ્રેજી હુકૂમતને નીકાળવા માટેના પ્રયત્નો કરતા રહ્યા.1938 માં આ જ કારણોથી તેમને ફ્રાંસ છોડી દેવાનું કહેવામાં આવ્યું,જર્મનીમાં તેમના પર પ્રતિબંધ લગાવી દીધો,પરંતુ કેટલાક અફઘાની દોસ્તોની મદદથી તે પ્રતિબંધ હટી ગયો.1938 માં ઈકબાલ ગદર પાર્ટીના પ્રતિનિધિ તરીકે સ્વિત્ઝર્લેન્ડ ગયા.ઈકબાલે અંગ્રેજી હુકૂમતની વિરુદ્ધ ત્રણ મોટા કામો કર્યા.સૌથી પહેલું તેમણે 'આઝાદ હિંદુસ્તાન સરકાર' ની સ્થાપના કરી,જેને બેનિટો મુસોલિનિએ માન્યતા આપી.રેડીયો હિમાલયના નામથી રેડિયો સ્ટેશન ચલાવ્યું, જ્યાંથી તેઓ હિન્દુસ્તાનના જંગી સિપાહીઓને સંદેશા આપતા અને આ સિપાહીઓની મદદથી 'આઝાદ હિંદુસ્તાન બટાલિયન' ની સ્થાપના કરી.
શૈદાઈના આ ત્રણ કામોને નેતાજી બોઝ માટે રસ્તાઓ ખોલી દીધા,નેતાજીએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી,આઝાદ હિંદ ફોજ અને રેડિયોના માધ્યમથી તેમના સંદેશ લોકો સુધી પહોંચાડયો.આઝાદી પછી શૈદાયી પોતાના વતન પાછા ફર્યા,પરંતુ બે વર્ષ પછી જ ફરીથી ઇટલી ચાલ્યા ગયા.ત્યાં ઉર્દૂ ભણાવવાનું કામ કરવાનું અંજામ પુરુ કર્યુ, દરમિયાન મૌલાના આઝાદ સાથે તેમની મુલાકાત રોમમાં થઇ,મૌલાનાએ દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું,પરંતુ શૈદાયી લગભગ 14 વર્ષ ત્યાં જ રહ્યા,પછી ફરી લાહોર આવી ગયા અને 13 જાન્યુઆરી 1974ની સવારે આ દુનિયા છોડી ગયા.
શૈદાયીની જિંદગી ઉપર મૌલાના મુહમ્મદ અલી જોહરની ઊંડી છાપ દેખાય છે.જેવી રીતે મુહમ્મદ અલી જોહરે એક ગુલામ દેશમાં મરવાનું પસંદ નહોતું કર્યું,ઠીક એ જ રીતે શૈદાયીએ પણ એક ગુલામ દેશમાં જીવવાનું પસંદ નહોતું કર્યું અને પોતાના વતનથી દૂર રહી વતનને આઝાદ કરાવવામાં હંમેશાં પ્રયત્નશીલ રહ્યા અને જ્યાર સુધી વતન આઝાદ ન થયું ત્યાં સુધી પાછા ફર્યા નહીં.તેઓ મુસ્લિમ લીગના પણ વિરુદ્ધ જ રહ્યા હતા.
- કામરાન ઈબ્રાહીમી
Comments
Post a Comment