Skip to main content

વૈક્કમ મુહમ્મદ બશીર (1908-1994)


વૈક્કમ મુહમ્મદ બશીર, જેમણે બ્રિટિશરોના અંકુશમાંથી ભારત માતાની મુક્તિ માટેના સંઘર્ષમાં શસ્ત્રો તરીકે તેમની સાહિત્યિક કુશળતાનો ઉપયોગ કર્યો હતો, જેમનો જન્મ 1 જાન્યુઆરી, 1908 ના રોજ કેરળના ઉત્તર ત્રવનકોર જિલ્લામાં થલયોલા-પેરામ્બુ ગામમાં થયો હતો. તેમના વતનના ગામમાં તેમનું પ્રાથમિક શિક્ષણ પુરુ કર્યા પછી, તેઓ વૈક્કમ ખાતે અંગ્રેજી માધ્યમ શાળામાં જોડાયા, જ્યાં તેમણે 1924 માં પહેલી વાર મહાત્મા ગાંધીને જોયા. ત્યારથી, તેઓ સ્વદેશી ચળવળ તરફ આકર્ષાય છે અને ખાદી પહેરવાની શરૂઆત કરે છે. તેમણે રાષ્ટ્રીય ચળવળમાં જોડાવા માટે તેમનું અભ્યાસ છોડી દીધો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા માટે કોઝિકોડ પહોંચ્યા, જેના માટે તેમની ધરપકડ કરી નવ મહિના સુધી કેદ કરવામાં આવ્યા. પાછળથી, તેઓ બ્રિટીશરો સામેના સશસ્ત્ર સંઘર્ષ દ્વારા પ્રભાવિત થયા હતા. પરિણામે એન્ટી બ્રિટીશ ક્રાંતિકારી એક્ટિવિટીમાં જોડાયા. તેમની ભાગીદારીના પરિણામે, તેમણે લગભગ સાડા સાત વર્ષનો સમય અલગ અલગ જેલોમાં પસાર કરવો પડ્યો હતો. તેમણે લોકોમાં ક્રાંતિકારી વિચારધારા ફેલાવવા માટે એક અખબાર 'ઉજ્જીવનમ' શરૂ કર્યું. બ્રિટીશ ગવર્મેન્ટે ન્યૂઝ પેપર પર પ્રતિબંધ મૂક્યો અને 1931 માં તેમના વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જારી કર્યું હતું. પછી, બશીર ધરપકડને ટાળવા માટે ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. તેમણે લગભગ સાત વર્ષ ભૂગર્ભમાં વિતાવ્યો હતો, જ્યાં તેમના અસ્તિત્વ માટે વિવિધ સ્થળોએ વિવિધ કાર્યો કર્યા. તે 1937 માં પાછા ફર્યા અને તેમની પ્રવૃત્તિઓને તીવ્ર બનાવી. બ્રિટીશ સરકારે તેમને 'ખતરનાક વ્યક્તિ' જાહેર કર્યા અને તેમની 1941 માં ફરી ધરપકડ કરી. તેમણે ત્રણ મહિનાનો ટ્રાયલ જેલમાં ગાળ્યો. તે સમયગાળા દરમિયાન તેમણે પોલીસ અને જાહેર બાબતો વિશેનું તેમનું પ્રથમ પુસ્તકમાં તેમના લોકઅપના અનુભવોને વર્ણવ્યું હતું. ત્યારથી, તેમણે તેમની લેખન પ્રવૃત્તિ ચાલુ રાખી અને અનેક નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ વગેરે લખ્યા.વાચકોને તેમના સાહિત્યિક લેખનશૈલીથી પ્રભાવિત કરી તેમના દિલ જીતી શક્યા. તેમણે તેમના મોટાભાગના પુસ્તકો તેમના કેદ દરમિયાન જ લખ્યાં હતા. તેમના પુસ્તકો ઘણી ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરવામાં પણ આવ્યા હતા. તેમણે તેમના સાહિત્યને વેચવા નવલકથાનો માર્ગ શરૂ કર્યો, જે સાહિત્યને લોકોના દિલોદિમાગમાં બેસાડવા વ્યક્તિગત રીતે ઘર-ઘર સુધી લઈ જાય છે. જ્યારથી તેમણે પોલીસના અત્યાચારની ટીકા કરી હતી અને બ્રિટીશની ગેરકાયદેસરતા દર્શાવી હતી, તેમના પુસ્તકો ઘણી વખત પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. બશીર દેશના વિભાજનના વિચારનો ભારપૂર્વક વિરોધ કરતા હતા. તેઓ સ્વતંત્રતા પછી તેમના સાહિત્યિક કાર્ય પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હતા. ભારતના ગવર્નન્સે 1982માં તેમના સાહિત્યિક પ્રયત્નો અને ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફના તેમના યોગદાન માટે 'પદ્મશ્રી' થી સન્માનિત કર્યા હતા - લોકો દ્વારા તેમને 'બોઇપુર સુલ્તાન' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. વૈક્કમ મુહમ્મદ બશીર, સ્વતંત્રત સેનાની,મેન ઓફ લેટર્સ અને જનતાના માણસ, બોઇપુરમાં 5 જુલાઇ, 1994 ના રોજ અવસાન પામ્યા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...