કર્નલ એહસાન કાદરી, જેઓ ઇંડિયન નેશનલ આર્મીમાં પ્રદર્શિત તેમના યુદ્ધ કૌશલ્યો માટે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1916માં પંજાબ પ્રાંતના લાહોર ખાતે થયો હતો, તેમના પિતાનું નામ સર અબ્દુલ કાદરી હતું.એહસાન કાદરીએ 1935માં દેહરાદૂનની ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં તાલીમ મેળવી હતી. તેમણે બ્રિટિશ ઈન્ડિયન આર્મીની પંજાબ રેજિમેન્ટમાં કેપ્ટન તરીકે કામ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને 1939માં સિંગાપોર મોકલવામાં આવ્યા હતા. જ્યારે બ્રિટિશ સૈનિકોએ બીજા વિશ્વયુદ્ધના પ્રથમ તબક્કા દરમિયાન જાપાની સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કર્યું, ત્યારે કાદરીની આગેવાની હેઠળના સૈનિકોને જાન્યુઆરી, 1942માં કૌલાલમ્પુર ખાતે જાપાની દળો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બાદમાં, કાદરી 1 સપ્ટેમ્બર, 1942ના રોજ રચાયેલી ઇંડિયન નેશનલ આર્મીના નેતા કેપ્ટન મોહન સિંહને મળ્યા હતા. એહસાનને વિશ્વ યુદ્ધમાં જાપાન દ્વારા રાખવામાં આવેલા બ્રિટિશ ભારતીય સેનાના યુદ્ધ કેદીઓ માટે જાહેર સમર્થન મેળવવા માટે રેડિયો પ્રચારનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે સાઈગનથી પ્રસારિત થતા રેડિયો કાર્યક્રમોનું નિરીક્ષણ કર્યું. પરંતુ, કેપ્ટન મોહન સિંહને ઇંડિયન નેશનલ આર્મીને વિખેરી નાખવાની તેમની યોજનાઓથી રોકવા માટે તેઓ સાયગનથી પાછા ફર્યા. જ્યારે ઇંડિયન નેશનલ આર્મીને પુનઃજીવિત કરવામાં આવ્યું અને સુભાષ ચંદ્ર બોઝ દ્વારા કબજો લેવામાં આવ્યો, ત્યારે કાદરીને INA માટે ભરતીનો હવાલો સોંપવામાં આવ્યો. તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં રચાયેલી આઝાદ હિંદ સરકારમાં માનવ સંસાધન વિકાસ મંત્રી અને 'યુદ્ધ પરિષદ'ના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાદરી સુભાષચંદ્ર બોઝ સાથે સિંગાપોરથી રંગૂન ગયા હતા. તેઓ એક સારા વ્યૂહરચનાકાર હતા અને આકર્ષક વક્તા પણ હતા. તેમણે ઇંડિયન નેશનલ આર્મી માટે નાગરિકો અને યુદ્ધ કેદીઓની ભરતી કરવા અને તેમને યોદ્ધાઓ તરીકે તાલીમ આપવા માટે સખત મહેનત કરી. તેમણે 'આઝાદ હિંદ દળ' ની પ્રવૃત્તિઓનું પણ નેતૃત્વ કર્યું હતું, જે ઇંડિયન નેશનલ આર્મી દ્વારા કબજે કરેલા વિસ્તારોને સંચાલિત કરવા માટે રચવામાં આવ્યું હતું. કાદરી એપ્રિલ, 1944માં યુદ્ધના મેદાનમાં ગયા અને ડિસેમ્બર, 1944માં પાછા રંગૂન પહોંચ્યા. જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનો પરાજય થયો, ત્યારે કાદરી ઇંડિયન નેશનલ આર્મીના સૈનિકો સાથે બ્રિટિશ ભારતીય સૈન્ય દ્વારા પકડાઈ ગયા.આઝાદ હિંદ ફૌઝના અન્ય સાથીઓ સાથે અધિકારીઓ, કર્નલ એહસાન કાદરીએ પણ દિલ્હી લાલ કિલ્લા ખાતે અંડર ટ્રાયલમાંથી પસાર થયા હતા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments
Post a Comment