કર્નલ મહેબૂબ અહેમદ, જેમણે જાહેર કર્યું કે ‘મારો એક જ જન્મ છે. જો મારે બીજા હજાર જન્મો હોય, તો હું સ્વેચ્છાએ તે બધા સુભાષ ચંદ્ર બોઝને તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સોંપી દઈશ', જેમણે માતૃભૂમિ ભારતની મુક્તિ માટે ઇંડિયન નેશનલ આર્મીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમનો જન્મ 19 માર્ચ, 1920 ના રોજ પટના(બિહાર)ના ચૌહાટમાં થયો હતો. તેમની માતાનું નામ બેગમ અસ્મત જહાં અને પિતાનું નામ ખાન બહાદુર ડોક્ટર વલી અહમદ હતું. મહેબૂબ અહમદે દહેરાદૂનની ઇંડિયન મિલીટરી એકેડેમીમાં તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું અને 1939માં ભારતીય સૈન્યમાં કેપ્ટન તરીકે જોડાયા. 1939માં શરૂ થયેલા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ આર્મી ઓફિસર તરીકે તેમને મલાયા યુદ્ધમાં મોકલવામાં આવ્યા. જ્યારે બ્રિટિશ ભારતીય સેનાને કોટા ભરુ ખાતે જાપાનના હાથે હારનો સામનો કરવો પડ્યો ત્યારે અન્ય અધિકારીઓ અને સૈનિકો સાથે યુદ્ધ કેદી બનાવ્યા. બાદમાં 1941 માં, તેઓ કેપ્ટન મોહન સિંહ દ્વારા રચાયેલી ઈંડિયન નેશનલ આર્મીમાં જોડાયા. 1943 માં, જ્યારે સુભાષ ચંદ્ર બોઝ જર્મનીથી રંગૂન આવ્યા અને ઇંડિયન નેશનલ આર્મીની બાગડોર સંભાળી, ત્યારે મહેબૂબને 'કર્નલ' તરીકે બઢતી આપવામાં આવી. બાદમાં તેમને INAમાં 'આર્મી સેક્રેટરી' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે ઇંડિયન નેશનલ આર્મી, આઝાદ હિંદ સરકાર અને તેના નેતા સુભાષ ચંદ્ર બોઝ વચ્ચે સંયોજક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. INA ના સૈન્ય સચિવ તરીકે, તેઓ હંમેશા નેતાજીની ખૂબ જ નજીક હતા અને બોઝ દ્વારા લેવામાં આવતા તમામ મુખ્ય નિર્ણયો તેઓ જાણતા હતા. વિશ્વયુદ્ધમાં જાપાનના આંચકાને કારણે જ્યારે INA બર્મા યુદ્ધના પ્રતિકૂળ વાતાવરણમાં અસંખ્ય યાતનાઓનો સામનો કરી રહી હતી, ત્યારે તેમણે જરૂરી ખોરાક, ગણવેશ, દવાઓ અને તબીબી સુવિધાઓ અને સમયસર સારવાર પૂરી પાડવા ઘાયલ અને બીમાર સૈનિકો માટે ચોવીસ કલાક કામ કર્યું હતું. કર્નલ મહેબૂબ કે જેમણે એક યુવાન અને કાર્યક્ષમ સૈન્ય અધિકારી તરીકે સુભાષ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મેળવી હતી, તેમની 1945માં અન્ય INA અધિકારીઓ સાથે ધરપકડ કરવામાં આવી. બાદમાં તેમણે લાલ કિલ્લામાં ટ્રાયલનો સામનો કર્યો હતો. સ્વતંત્રતા પછી, ભારત સરકારે તેમને ઈરાકમાં રાજદ્વારી તરીકે નિયુક્ત કર્યા. રાજદ્વારી, વિશેષ ફરજ પરના અધિકારી, નિર્દેશક અને ઉચ્ચ કમિશનર તરીકે તેમણે દેશ-વિદેશમાં સાબિતી ક્ષમતા સાથે તેમની ફરજો બજાવી અને લોકો તેમજ સરકારના વડાઓ તરફથી પ્રશંસા મેળવી. તેમણે સ્પર્શ કરેલા તમામ ક્ષેત્રો પર તેમની ઊંડી અને શક્તિશાળી છાપ છોડી. 1980 માં નિવૃત્તિ પછી, તેઓ તેમના વતન પટનામાં સ્થાયી થયા. ત્યારથી તેઓ બિહારની સાહિત્યિક, સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેતા રહ્યા. કર્નલ મહેબૂબ અહેમદે 9 જૂન,1992ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment