Skip to main content

મુખીઉદ્દીન ફારૂકી (1920-1997)


મુખીઉદ્દીન ફારૂકી, જેને લોકો અને તેમના સાથીદારો 'ગાંધીવાદી માર્ક્સવાદી' તરીકે પસંદ કરતા હતા, તેમનો જન્મ 1920માં ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના અંબેહાટામાં થયો હતો. તેમના પૂર્વજોને 1857માં અંગ્રેજો સામે બળવો કરવા બદલ ફાંસીના માંચડે ધકેલવામાં આવ્યા હતા. પાછળથી, તેમના પિતા અને ભાઈઓએ પણ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. 1923માં તેમના પિતા મૌલાના મોઇનુદ્દીનનું અવસાન થયું હોવાથી તેઓ 1927માં તેમના ભાઈ સાથે દિલ્હી રેહવા ગયા હતા. 1934માં સેન્ટ સ્ટીફન કૉલેજમાં જોડાનાર મુખીઉદ્દીન ખાસ કરીને તેમના ખાદી ડ્રેસ માટે જાણીતા હતા. તેમણે જુલાઈ, 1936માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં જવાહરલાલ નેહરુ અને મુહમ્મદ અલી ઝીણાએ હાજરી આપી હતી. તેઓ ક્રાંતિકારીઓના પરિવારમાંથી આવતા હોવાથી,જ્યારે તેઓ વિદ્યાર્થી હતા, ત્યારથી તેમણે 1936થી રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં હડતાળની જાહેરાત કરી અને 1940માં જવાહરલાલ નેહરુની ધરપકડના વિરોધમાં વિદ્યાર્થીઓ સાથે પ્રદર્શનનું આયોજન કર્યું. તેથી તેમને યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અને તેમની M.A. ની ડિગ્રી પણ રદ કરવામાં આવી હતી. તેઓ 1940માં ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી બન્યા. તેમણે ફેડરેશનના વિસ્તરણ માટે કામ કર્યું અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં સભ્યપદ મેળવ્યું. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હોવા છતાં, તેમણે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય તરીકે ભારત છોડો ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેના માટે તેમને 14 મહિનાની જેલ કરવામાં આવી હતી. તેઓ રાજકારણના સાંપ્રદાયિકરણના વિરોધી હોવાથી, તેમણે અલગ રાષ્ટ્ર માટે મુસ્લિમ લીગની ચળવળનો સખત વિરોધ કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારની જીતની ઉજવણીનો બહિષ્કાર કરવા લોકોને અપીલ કરવા બદલ બ્રિટિશ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે 1947 માં દેશના વિભાજન પછી કોમી રમખાણો ફાટી નીકળ્યા,ત્યારે તેમણે મહાત્મા ગાંધી અને મૌલાના અબુલ કલામ આઝાદના માર્ગદર્શન હેઠળ સંવાદિતા અને શાંતિ જાળવવા માટે સખત મહેનત કરી. પાછળથી, તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને પૂર્ણ સમય આપવા લાગ્યા. તેમણે જોડાવાનો ઇનકાર કર્યો હોવા છતાં, તેમને ભારત સરકારમાં અનેક માનદ અને બંધારણીય હોદ્દાઓની ઓફર કરવામાં આવી હતી. તેમણે તત્કાલીન વડા પ્રધાન એચડી દેવગૌડા દ્વારા રાજ્યપાલ પદની ઓફર પણ નકારી કાઢી હતી. 1989માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા દ્વારા દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમની M.A.ની ડિગ્રીથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 3 સપ્ટેમ્બર, 1997ના રોજ દિલ્હીમાં એક સભામાં બોલી રહ્યા હતા ત્યારે ખૂબ જ સાદું જીવન જીવતા મુખીઉદ્દીન ફારૂકીએ અંતિમ શ્વાસ લીધા હતા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...